Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ આગામી તા. ર૬-પ-ર૩ ના હાપાના જલારામ મંદિરમાં આંખના મોતીયાના ઓપરેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વમાં સર્વ પ્રથમ એકમાત્ર શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ (આંખની હોસ્પિટલ - રાજકોટમાં ઉનાળાની સિઝનમાં અત્યાધુનિક કોલ્ડ (ઠંડા) ફેકો મશીન દ્વારા ટાંકા વગરના સારામાં સારા સોફટ ફોડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે.
મોતીયાના ઓપરેશન માટેના કેમ્પ તા. ર૬ ના શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ સુધી જલારામ મંદિર-હાપામાં યોજવામાં આવ્યો છે. મોતીયાના ઓપરેશન માટે દર્દીને હોસ્પિટલની બસમાં રાજકોટ લઈ જવામાં આવશે જ્યાં અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ઓપરેશન કરી આપવામાં આવશે. અને દર્દીઓને કેમ્પના સ્થળે પરત લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. દરેક દર્દીએ આધારકાર્ડ સાથે લાવવું ફરજીયાત છે.
દર્દીને જમવા, રહેવાની, શુદ્ધ ઘી નો શીરો, ચા-પાણી, નાસ્તો,ચશ્મા, દવા, ટીપાં વગેરે મફત આપવામાં આવશે. આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા અને વધુ વિગત માટે રમેશ દતાણી (પ્રમુખ - શ્રી જલારામ સેવા ટ્રસ્ટ) ભાવેશ દતાણી (૯૪ર૭ર ૭પ૮૮૮) અને અનિલ ચાવડા (૯૧૩૭ર ૧૩રર૦) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial