Advertisement
Author: નોબત સમાચાર

છાતીના દુખાવાથી નગરના યુવાનનું નિપજ્યું મૃત્યુ

મૃતકના પિતાની પોલીસને જાણઃ

જામનગર તા.૨૨: જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતા એક સિંધી યુવાનનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી સારવારમાં મૃત્યુ થયું છે.

જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા સ્વામિ નારાયણનગરની શેરી નં.૪માં રહેતા રવિભાઈ હરિશભાઈ માખેચા નામના એકત્રીસ વર્ષના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા હરિશભાઈ સાબુમલ માખેચાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh