Advertisement
Author: નોબત સમાચાર

મારામારીના ગુન્હામાં ફરાર થયેલા આરોપીને પકડી પડાયો

જામનગર તા.૨૨: જામનગરના એક શખ્સ સામે મારામારીનો ગુન્હો નોંધાયા પછી પાંચ મહિનાથી નાસતા ફરતા આ શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે.

જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના પહેલા મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં મયુરનગર નવા ત્રણ માળીયા આવાસમાં રહેતા હિતેશ રાણશીભાઈ હરિયાણી નામના ગઢવી શખ્સનંંુ નામ ખૂલ્યું હતું.

ત્યારપછી આ શખ્સ પલાયન થઈ ગયો હતો. ઉપરોક્ત આરોપી પોતાના ઘેર આવ્યો હોવાની બાતમી મળતા જામનગરની પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે પીએસઆઈ એલ.જે. મિયાત્રાની સૂચનાથી ત્યાં ધસી જઈ આરોપીની અટકાયત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh