Advertisement
Author: નોબત સમાચાર

કામદાર કોલોનીમાંથી ભંગારની ચોરી કરનાર ત્રણ દેવીપૂજક મહિલા ઝડપાયા

ચોરાઉ ભંગાર તથા ટોપીયુ કરી લેવાયા કબજેઃ

જામનગર તા.૨૨: જામનગરની કામદાર કોલોનીમાં એક મકાનમાંથી લોખંડ, પિતળનો ભંગાર તથા ઈલેકટ્રીક મોટરનો સામાન ચોરાઈ ગયો હતો. તેની તપાસમાં પોલીસે ત્રણ દેવીપૂજક મહિલાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

જામનગરની કામદાર કોલોનીમાં એક મહાજન આસામીના ઘરમાં આવેલા ભંગારના ઓરડાની દીવાલ તોડી ગુરૃવારની રાત્રે તાંબાના ટોપીયા સહિતનો ભંગાર ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

તેની ચાલી રહેલી તપાસમાં પીઆઈ પી.એલ. વાઘેલાની સૂચનાથી પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં સ્ટાફના હરદીપ બારડ, યુવરાજસિંહને બાતમી મળી હતી કે, ખોડિયાર કોલોની રોડ પર સંતોષી માતાના મંદિર નજીક દેવીપૂજકવાસમાં ત્રણ મહિલા ચોરાઉ સામાન સગેવગે કરે છે.

તે બાતમીના આધારે શારદાબેન અમિત પરમાર, સવિતાબેન મુકેશ પરમાર અને સામુબેન રવિ પરમાર નામની ત્રણ મહિલાની અટકાયત કરાઈ હતી. આ મહિલાઓએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી ચોરાઉ લોખંડનો દસ કિલો ભંગાર, પિત્તળનો દસ કિલો ભંગાર, ઈલેકટ્રીક મોટરનો ભંગાર અને તાંબાનું ટોપીયુ કાઢી આપ્યા છે. ત્રણેય મહિલાની ધરપકડ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh