Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યમાં જળાશયોને ઉંડા ઉતારવા લોક વિચાર મંચ સંસ્થાની માંગ

જામનગર તા. રરઃ રાજ્યના તમામ શહેર-જિલ્લાના તમામ જળાશયોને ઉંડા ઉતારવાની કામગીરી કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત સાથે માંગણી કરવામાં આવી છેે.

જામનગરના લોક વિચારમંચના પ્રમુખ સહદેવ મકવાણા અને મંત્રી કિશોર મજીઠીયા વગેરેએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, રાજ્યના તમામ શહેર,જિલ્લામાં આવેલ નદી નાળા, ચેકડેમ, કેનાલ, સિંચાઈ યોજનાના ડેમ વગેરે જળાશયોમાં પાણીનો સંગ્રહ થાય છે તેમાં જમાં થતો કાંપ-કચરો, પાણી સંગ્રહની ક્ષમતા ઘટાડો છે તે દૂર કરવા જોઈએ, અને નજીકના વિસ્તારમાં થયેલ દાબણો દૂર કરવા જોઈએ તેમજ ભૂગર્ભમાં પાણી ઉતરે તે માટે બનાવાયેલ બોરની પણ યોગ્ય સફાઈ કરવી જોઈએ. આગામી ચોમાસા પહેલા જળાશયોને ઉંડા ઉતારવાની કામગીરી કરવી જોઈએ જેથી વધુ પાણી સંગ્રહ થઈ શકે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh