Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૨: કાલાવડ શહેરમાં આવેલી એક બેકરીમાં શનિવારે રાત્રે કોઈ કારણથી આગ ભભૂકતા ફાયરબ્રિગેડના જવાનો દોડી ગયા હતા. આગને કાબૂ કરવામાં આવી તે દરમિયાન મોટાભાગનો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો.
કાલાવડ શહેરમાં નગર પાલિકા કચેરી સામે સરદાર ચોકમાં રાધે બેકરીમાં શનિવારે રાત્રે કોઈ કારણથી આગ ભભૂકી ઉઠી હતી. જેની જાણ થતાં કાલાવડ નગરપાલિકાનો ફાયરબ્રિગેડનો સ્ટાફ રાત્રે બે વાગ્યે દોડ્યો હતો.
ફાયરના જવાનોએ એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે બેકરીમાં પડેલો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. આગ કેવી રીતે લાગી ? તે કારણ અકબંધ રહેવા પામ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial