Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્ન પછી પંદર દિ'માં પિયર ગયેલી પત્ની આવી જ નહીંઃ
જામનગર તા. ૨૨ઃ ખંભાળિયાના દખણાદાબારા ગામના એક યુવાનને રૃા.ર લાખ રોકડા લઈ ડીસા તાલુકાના સામઢી ગામના પિતા-પુત્રએ એક યુવતી સાથે પરણાવ્યા પછી પત્ની પંદર દિવસમાં પિયર ચાલી જતાં અને પછી પરત નહીં ફરતા છેતરાયેલા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના દખણાદાબારા ગામમાં રહેતા રઘુવીરસિંહ મલુજી ભાટી (ઉ.વ.૩૦) નામના યુવાનને લગ્ન કરાવી આપવાની વાત કરી ગયા ડિસેમ્બર મહિનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સામઢી ગામના અમરસિંહ સોલંકી (ઉ.વ.૬૫) તથા તેના પુત્ર રણજીતસિંહ (ઉ.વ.૩૦)નો સંપર્ક થયો હતો.
આ શખ્સોએ પૂજાબા ઉર્ફે લક્ષ્મીબા સાથે લગ્ન કરાવી આપવાની લાલચ બતાવી હતી અને રૃા.ર લાખ રોકડા લઈ રઘુવીરસિંહના લગ્ન પૂજાબા સાથે ગઈ તા.૯-૧૨-૨૨ના દિવસે કરાવી આપ્યા હતા. લગ્ન પછી પંદરેક દિવસ વીત્યે પૂજાબાને ઉપરોક્ત પિતા-પુત્ર તેડી ગયા હતા.
તે પછી પોતાની પત્ની પરત નહીં આવતા રઘુવીરસિંહે સામઢી ગામના પિતા-પુત્રનો સંપર્ક કર્યાે હતો પરંતુ તેઓએ પૂજાબાને પરત નહીં આવવા દેતાં પોતે છેતરાઈ ગયા હોવાનો અહેસાસ થવાથી રઘુવીરસિંહે ગઈકાલે સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના લગ્ન સામઢી ગામના અમરસિંહ તથા રણજીતસિંહ અમરસિંહે રૃા.ર લાખ લઈ કરાવ્યા પછી પોતાની પત્નીને પરત મોકલી ન હતી. તે ઉપરાંત પોલીસ કેસ થશે તો પત્ની પરત નહીં જ આવે તેવી ભીતિથી આ બાબતની પાંચ મહિના પછી રઘુવીરસિંહે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે આઈપીસી ૪૨૦, ૪૦૬, ૧૧૪ હેઠળ પિતા-પુત્ર સામે ગુન્હો નોેંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial