Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પિતાનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા.૨૨ ઃ જામનગરના દરેડમાં આવેલી એક સોસાયટીમાં રહેતા યુવાને પત્ની સાથે અવારનવાર થતાં કજીયાથી કંટાળી જઈ શુક્રવારે રાત્રે પોતાના ઘરમાં પંખામાં જાત ટીંગાળી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેમના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગર નજીકના દરેડ પાસે આવેલા જય હરિ પાર્કની શેરી નં.૨માં મકાન નં.૭માં રહેતા જયેશભાઈ રઘુભાઈ ગુજરાતી નામના ત્રીસ વર્ષના કોળી યુવાને શુક્રવારની રાત્રે બે વાગ્યાથી શનિવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં પંખામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની શનિવારે રાત્રે જાણ થઈ હતી.
આ યુવાનના પિતા રઘુભાઈ શામજીભાઈ ગુજરાતીએ પોલીસને વાકેફ કરી છે. પંચકોશી-બી ડિવિઝનના જમાદાર એસ. એસ. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી પિતા રઘુભાઈનું નિવેદન નોંધ્યું છે. પિતાએ પોલીસને જણાવ્યા મુજબ જયેશભાઈને તેમના પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. તેથી ઘરકંકાસથી કંટાળી ગયેલા તેમના પુત્રએ આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial