Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરિયાવરની માંગણી કરી ત્રાસ આપ્યાની અન્ય યુવતીની રાવઃ
જામનગર તા.૨૨: જામનગરના એક પરિણીતા પતિના ત્રાસથી કંટાળી પોતાના બહેનના ઘેર રહેવા ચાલ્યા ગયા પછી પતિએ ઘરમાંથી અઢી લાખ રૃપિયા લઈ ગઈ હોવાની શંકા કરી પત્ની પર છરી-ધોકાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે એક પરિણીતાને કરિયાવર માગી પાંચ સાસરિયાએ ત્રાસ આપ્યાની રાવ મહિલા પોલીસ સ્ટેશનમાં કરી છે.
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલી નીલકમલ સોસાયટી નજીકના જાગૃતિનગરમાં રહેતા વર્ષાબા હરપાલસિંહ જાડેજા નામના ૨૩ વર્ષના ગરાસીયા પરિણીતાને લગ્ન જીવન દરમિયાન પતિ હરપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વારંવાર નાની બાબતોમાં બોલાચાલી કરી ત્રાસ આપતા હતા. તેથી કંટાળી ગયેલા વર્ષાબા ત્રણેક મહિના પહેલા જૂનાગઢમાં રહેતા બહેનના ઘેર રોકાવા માટે ચાલ્યા ગયા હતા.
તે પછી પતિ હરપાલસિંહ ફોન કરીને તું મારા ઘરેથી રૃપિયા અઢી લાખ લઈ ગઈ છો તેમ શંકા કરી અવારનવાર ફોન પર ઝઘડો કરતો હતો. તે પછી જામનગર આવેલા વર્ષાબા પર શનિવારે રાત્રે પતિ હરપાલસિંહે છરી વડે હુમલો કરી હાથ તથા પગમાં ઈજા પહોંચાડવા ઉપરાંત લાકડાના ધોકાથી પણ માર માર્યાની વર્ષાબાએ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરની નિલકમલ સોસાયટીની શેરી નં.૫માં રહેતા પરમાર રવિરાજસિંહ રાજેન્દ્રસિંહના લગ્ન સુરેન્દ્ર નગર જિલ્લાના મુળીના દિવ્યાબા દિલીપસિંહ જાડેજા સાથે થયા પછી દિવ્યાબાને પતિ તેમજ સાસુ હર્ષાબા અને વાંકાનેરમાં રહેતા નણંદ જીજ્ઞાબા યોગીરાજસિંહ, નણંદોયા યોગીરાજસિંહ જાડેજા, કોટડા સાંગાણીમાં રહેતા નણંદ અંજનાબા લગધીરસિંહ જાડેજાએ નાની બાબતોમાં ઝઘડા કરી ત્રાસ આપવા ઉપરાંત વધુ કરિયાવરની માંગણી કરી મારકૂટ કરતા દિવ્યાબાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ, બે નણંદ, નણંદોયા સામે ગુન્હો નોેંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial