Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવ મહિના પહેલા થઈ હતી સજાઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરના એક શખ્સને નવ મહિના પહેલા અદાલતે ચેક પરતના કેસમાં છ મહિનાની સજા ફટકાર્યા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને એસટી ડેપો પાસેથી એસઓજીએ પકડી પાડ્યો છે.
જામનગરના કસાઈના કબ્રસ્તાન પાસે આવેલી સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા નાસીર હુસેનભાઈ બ્લોચ નામના શખ્સને જામનગરની કોર્ટે વર્ષ ૨૦૧૯માં નોંધાયેલા ચેક પરતના કેસમાં છ મહિનાની કેદની સજા ફટકારી હતી. ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપી એસટી ડેપો નજીક આવ્યો હોવાની બાતમી એસઓજીના ચંદ્રસિંહ, શોભરાજસિંહ, અનિરૃદ્ધસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ ધસી ગયેલી એસઓજી ટૂકડીએ આ આરોપીની અટકાયત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial