Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં ત્રણ ખેતરમાંથી ૪૮૦ ફૂટ કેબલ ચોરાઈ ગયો

એક મકાનમાં ૫ણ ચોરીનો પ્રયાસઃ

જામનગર તા.૨૨: કાલાવડના ત્રણ ખેડૂતના ખેતરમાંથી ઈલેકટ્રીક કેબલ ચોરાઈ ગયો છે. ખેતર સ્થિત એક મકાનના તાળા તોડી તસ્કરોએ સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો.

કાલાવડના ગોવિંદપરામાં આવેલી હનુમાન કૂવા શેરીમાં રહેતા પરસોત્તમ નાથાભાઈ ફળદુ નામના ખેડૂતના ખેતરમાંથી કોઈ શખ્સો ગયા શુક્રવારની સાંજથી શનિવારની સવાર સુધીમાં કેબલ ચોરી ગયા છે.

તે ઉપરાંત જયેશભાઈ ફળદુ તથા અરવિંદભાઈ ફળદુના ખેતરમાંથી પણ ઈલેકટ્રીક વાયર ચોરાઈ ગયો છે. તસ્કરોએ ખેતરમાં આવેલા મકાનમાં તાળા તોડી ઘૂસી ગયા પછી માલસામાન વેરવિખેર પણ કરી નાખ્યો હતો. કુલ ૪૮૦ ફૂટ કેબલ ચોરી જવા અંગે અજાણ્યા તસ્કરો સામે પરસોત્તમ ફળદુએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh