Advertisement
Author: નોબત સમાચાર

રણુજામાં વાલીથી વિખૂટુ પડી ગયેલું બાળક પોલીસને મળ્યુંઃ કરાવાયું સુખદ મિલન

પોલીસ પ્રજાની મિત્ર હોવાનું રજૂ થયું ઉદાહરણઃ

જામનગર તા.૨૨: કાલાવડના રણુજામાં રવિવારે દર્શન કરવા આવેલા આણંદપરના એક મહિલાનો અઢાર મહિનાનો પુત્ર વિખૂટો પડી ગયા પછી પોલીસે માતા-પુત્રનું સુખદ મિલન કરાવી આપી પોલીસ પ્રજાની મિત્ર છે તે સાબિત કર્યું હતું.

કાલાવડ નજીકના રણુજા મંદિરમાં રવિવારે બીજ નિમિત્તે યોજાયેલા દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યા હતા ત્યારે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. કાતરીયાની સૂચનાથી પીએસઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફ દ્વારા બંદોબસ્ત રખાયો હતો.

તે દરમિયાન મુખ્ય મંદિર સામેના રોડ પર એક બાળક રડતી હાલતમાં આવી જતાં અંદાજે દોઢેક વર્ષના તે બાળકને પોલીસમેન મયુરસિંહ જાડેજાએ તેડી લઈ મહિલા જીઆરડી ક્રિષ્નાબેન ગોસાઈ પાસે લઈ જઈ પૂછતા ગભરાયેલી હાલતમાં રહેલુું બાળક કંઈ જણાવી શકતંુ ન હતું. તેથી આ બાળક પોતાના વાલીથી વિખૂટુ પડી ગયું હોવાનું માની પોલીસે બંને મંદિરમાં તેમજ પોલીસની વાનમાંથી માઈક પર એનાઉન્સમેન કરાવી બાળકના વાલીની શોધ આરંભી હતી.

તે દરમિયાન કાલાવડ તાલુકાના આણંદપર ગામના એક મહિલા હાંફળાફાંફળા બની દોડી આવ્યા હતા. તેઓએ આ બાળકના માતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની ખરાઈ કર્યા પછી વિખૂટા પડી ગયેલા બાળકનો કબજો તેની માતાને સોંપી આપી પોલીસ પ્રજાની મિત્ર છે તે સાબિત કર્યું હતું. આ કામગીરીમાં મયુરસિંહ, ક્રિષ્નાબેન સાથે જીતેન પ્રાગડા, સુરપાલસિંહ જાડેજા, મંદિરના ટ્રસ્ટીઓ, અન્ય શ્રદ્ધાળુઓ રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh