Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાણા પ્રતાપની પ્રતિમાના વિસ્તારોમાં બેનરો, ધ્વજા,પતાકાથી શણગારઃ પાર્ટી પ્લોટમાં ભવ્ય લોકડાયરો યોજાશે
જામનગર શહેર, જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા આજે વીર યોદ્ધા મહારાણા પ્રતાપની ૪૮૪ મી જન્મજયંતી નિમિત્તે રાત્રે પદમપાર્ટી પ્લોટના વિશાળ મેદાનમાં સુપ્રસિદ્ધ કલાકારો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, કિંજલ દવેનો લોકડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે અને આ કાર્યક્રમના આરંભ પહેલા પૂર્વ ધારાસભ્ય/મંત્રી હુકભા જાડેજા તથા ૭૮-જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાની રકતતુલાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમો માટે ડોમ સાથેના વિશાળ સ્ટેજ તેમજ હજારો લોકો બેસીને માણી શકે તેવી બેઠક વ્યવસ્થા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. પદમ પાર્ટી પ્લોટમાં રાત્રે વાત્સલ્ય જમણવાર પણ યોજાયું છે. આ ઉપરાંત આજે બપોરે ર વાગ્યાથી વિશ્વકર્મા વાડીમાં રકતદાન કેમ્પ યોજાશે. ત્યાં એકત્ર થયેલ રકત પદમ પાર્ટી પ્લોટના સ્થળે રકતતુલા માટે પહોંચાડવામાં આવશે. સાંજે ૬-૩૦ વાગ્યે વિશ્વકર્મા બાગ, ગાંધીનગર રોડથી મહારાણા પ્રતાપની શોભાયાત્રાનો આરંભ થશે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મહામંત્રી રત્નાકરજી ખુલ્લી શણગારેલી જીપમાં જોડાશે. આ શોભાયાત્રા ડીકેવી કોલેજ, જી.જી. હોસ્પિટલ, અંબર ટોકીઝ રોડ, બેડી ગેઈટ, ટાઉનહોલ, થઈને જિલ્લા પંચાયત સામે મહારાણા પ્રતાપની પ્રતિમા સામે સમ્પન્ન થશે. જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યાંથી તમામ મહાનુભાવો સાથેનો કાફલો પદમ પાર્ટી પ્લોટના સ્થળે રાત્રિના કાર્યક્રમમાં હાજરી આપવા જશે. શોભાયાત્રાના રૃટ ઉપર ઠેર ઠેર સ્વાગત-પુષ્પવૃષ્ટિનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial