Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળના લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે પ્રશિક્ષણાર્થીઓ

જામનગર તા. ર૨ઃ ગંગાજળા વિદ્યામંડળ સંચાલિત દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય-અલિયાબાડાના બી.એડ. કોલેજના પ્રશિક્ષણાર્થીઓએ ૯ર૦ અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોળની મુલાકાત લીધી હતી.

તજજ્ઞ ડો. સંજયભાઈ પંડ્યાએ રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળાની મુલાકાત પ્રયોગોની સમજ સાથે કરાવી હતી. ત્યારપછી એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમીના પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. શૈક્ષણિક અને સોલાર ઉપકરણ તેમજ વિવિધ શૈક્ષણિક સાધનો સ્વનિર્મિત કેમ બનાવી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી. વિજ્ઞાનનું જ્ઞાન મેળવીને અંધશ્રદ્ધા નિવારવા માટે શિક્ષકોએ સમાજમાં જાગૃતિ આપવાની કામગીરી કરવાની બાબતથી જાગૃત કર્યા હતાં. વિજ્ઞાનની વ્યવહારૃ બાબતો અંગેનું જ્ઞાન સમગ્ર તાલીમાર્થીઓએ પ્રાપ્ત કર્યું હતું તેમજ શહીદવન ધ્રોળની મુલાકાત લઈને ભૂચર મોરીના યુદ્ધ વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીર૦ ના કો-ઓર્ડિનેટર ડો. આશાબેન એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના સર્વે અધયાપકશ્રીઓ પણ જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમને કોલેજના આચાર્ય ડો. રૃપલબેન એસ. માંકડ તથા ટ્રસ્ટી દિલીપભાઈ આશરે કાર્યક્રમને બિરદાવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh