Advertisement
Author: નોબત સમાચાર

અંધાશ્રમ આવાસ કોલોનીમાં પાંચ શખ્સે રિક્ષામાં તોડફોડ કર્યાની કરાઈ ફરિયાદ

આ બ્લોકમાંથી પોલીસે તાજેતરમાં પકડ્યું હતું કૂટણખાનુઃ

જામનગર તા. ૨૨ઃ જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતા એક વૃદ્ધની રિક્ષામાં પાંચ શખ્સે તોડફોડ કરી નુકસાની સર્જી હતી. આ વૃદ્ધના બ્લોકમાંથી તાજેતરમાં કૂટણખાનુ ઝડપાયું હતું. તે પહેલા આ વૃદ્ધ તે બાબતે કહેવા જતાં તેમની સાથે બોલાચાલી કરાઈ હતી. તે પછી રિક્ષામાં તોડફોડ કરી નખાઈ હતી.

જામનગરના અંધાશ્રમ નજીક આવેલા આવાસમાં બ્લોક નં.૪૫ અને રૃમ નં.૧૨ માં રહેતા કિશોરભાઈ વશરામભાઈ પાલા નામના ૬૫ વર્ષના સોની વૃદ્ધ શુક્રવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે બે વાગ્યે તેઓનું બારણું કોઈએ ખખડાવ્યું હતું. થોડા દિવસ પહેલા આ વૃદ્ધના રહેણાંક બ્લોકમાંથી પોલીસે એક મહિલાને લોહીનો વ્યાપાર કરાવતી પકડી પાડી હતી. આ બાબતે કિશોરભાઈએ ત્યાં જ રહેતા અનિલ મેર વગેરે શખ્સોને કહેતા તે વખતે બોલાચાલી થઈ હતી. તે પછી પોલીસે દરોડો પાડી કુટણખાનું પકડતા કિશોરભાઈને મારી નાખવાની ધમકી મળી હતી.

તે દરમિયાન શુક્રવારે રાત્રે તેઓનું બારણું કોઈએ જોર જોરથી ખખડાવતા આ વૃદ્ધે ડરના માર્યા બારણું ખોલ્યું ન હતું પરંતુ પોતાના રહેણાંક બ્લોકની  ગેલેરીમાં જઈને નીચે જોતા તેઓએ નીચે પાર્ક કરેલી જીજે-૨૩-યુ ૮૭૭ નંબરની તેમની રીક્ષા પાસે બે થી ત્રણ શખ્સ ઉભેલા જોયા હતા. આ શખ્સોએ કિશોરભાઈને ઉપરથી ડોકું કાઢતા જોઈ દોટ મૂકી હતી.

તે પછી કિશોરભાઈએ સવારે નીચે જઈને જોતા તેઓની રિક્ષાનો કાચ, લાઇટ ફોડી નાખવામાં આવ્યા હતા અને રિક્ષામાં ઘોબા પાડી દેવામાં આવ્યા હતા. તેઓએ પોતાની રિક્ષામાં રૃપિયા ૧૨ હજારનું નુકસાન કરવા અંગે અનિલ મેર, ભરત મેર, વિરલ મહેન્દ્રભાઈ, યાજ્ઞિક મહેન્દ્રભાઈ તથા મહેન્દ્રભાઈ વાળા સામે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૨૭ તથા ૫૦૬ (૨) અને ૩૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh