Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકામાં આવેલા ખીજડીયામાં ગેરકાયદે ખનીજ ચોરી અંગે કલેક્ટરને રજૂઆત

જામનગર તા. રરઃ જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં ગેરકાયદે ખનન થતું હોય છે. આ અંગે યોગ્ય પગલા લેવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન સંઘારે એક રજૂઆતમાં જણાવ્યું છે કે, ખીજડીયા ગામમાં માટીનું ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. આ કામગીરી માટે તંત્ર પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી.

આમ રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ બાબતે ગામના સરપંચ અને તલાટીની કામગીરી અંગે પણ તપાસ કરવાની જરૃર છે અને કસૂરવારો સામે ફોજદારી ફરિયાદ કરી, સાધન, વાહનો જપ્તીમાં લઈ ફોજદારી ફરિયાદ નોંધવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh