Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં ૪૦ ખૂંટિયા, પ૦ ગાય પકડાતા પશુ માલિકોમાં ફફડાટ

રામનાથ પાંજરાપોળ, આરાધના ધામ, મોવાણ ગૌશાળાઓનો સહયોગઃ

ખંભાળિયા તા. રઃ ખંભાળિયા પાલિકા દ્વારા ૪૦ જેટલા ખૂંટિયા તથા પ૦ જેટલી રખડતી ગાયોને પકડીને જુદી જુદી ગૌશાળાઓમાં મોકલાઈ છે.

ખંભાળિયા શહેરમાં રખડતા ઢોર બાબતે જિલ્લા કલેક્ટર અશોકકુમાર શર્મા તથા અધિક નિવાસી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડે.કલેક્ટર કે.કે. કરમટા દ્વારા ખંભાળિયા પાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા પશુપાલન અધિકારી પટેલ દ્વારા સંકલન કરીને ઢોર પકડવાની ઝુંબેશમાં સારી સફળતા મળી છે.

અત્યાર સુધીમાં રખડતા ઢોર પૈકી પ્રથમ વખત ૪૦ જેટલા આખલા-ખૂંટિયા તથા પ૦ જેટલી ગાયોને પકડવામાં આવી છે. અગાઉ શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના સહયોગથી પ૦ જેટલી ગાયો પકડાઈ હતી. તે પછી હાલાર તીર્થ આરાધનાધામ ગૌશાળા તથા મોવાણ ગૌશાળાના સહયોગથી વધુ ૪૦ જેટલા પશુઓ પણ પકડીને આરાધનાધામ તથા મોવાણ ગૌશાળામાં મૂકવા વ્યવસ્થા કરાઈ છે.

ખંભાળિયા શહેરમાં ધણિયાતા પશુઓને તેના માલિકો ગાયોને દોહીને રખડતી મૂકી દેતા હોય, રખડતી ગાયોને પકડવાનું શરૃ કરાતા આવા માલિકોમાં ફફડાટ ફેલાયો હતો તથા કેટલાયે માલિકોએ તેમની દુઝણી ગાયો ઘેર વાડામાં બાંધવાનું શરૃ કર્યું છે.

ડેપ્યુટી કલેક્ટર કરમટાના સંકલનથી શરૃ થયેલા આ કાર્યને સફળતા મળી છે. પ્રથમ વખત આખલા પકડાતા થયા છે તથા ઢોર પકડવામાં માનવતાપૂર્ણ વર્તન થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh