Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અટકાયત હટાવવાનો મામલતદારનો હુકમઃ
જામનગર તા. ૨ઃ જામનગરના નગરસીમમાં આવેલી ખેતીની જમીનના કુદરતી પાણીના નિકાસમાં કરાયેલી અડચણ દૂર કરવા મામલતદારે હુકમ કર્યાે છે.
જામનગરના નગરસીમ વિસ્તારમાં કુલદીપ શૈલેષભાઈ મુંજપરા નામના આસામીની ખેતીની જમીન આવેલી છે. તેની બાજુમાં પ્રેમજી કારાભાઈ પરમાર અને મોહનભાઈ પરસોત્તમ કટેશીયાની ખેતીની જમીન આવેલી છે. કુલદીપ મુંજપરાની જમીનમાં પાણીનો નિકાલ આવેલો છે.
તે પછી પ્રેમજીભાઈ તથા મોહનભાઈએ તે નિકાલ બંધ કરી દેતા કુલદીપ મુંજપરાએ જામનગરના મામલતદાર સમક્ષ કેસ કર્યાે તો. તે દાવો ચાલી જતાં મામલતદારે દાવો મંજૂર કરી પ્રતિવાદી પ્રેમજીભાઈ તથા મોહનભાઈએ ઉભો કરેલો પાળો તાત્કાલિક હટાવી લેવા અને જમીનના હિસ્સાની માપણી કરાવી હદ-નિશાન ઉભા કરી જગ્યા પર કબજો સંભાળવા હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, જીતેશ કપુરીયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial