Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈ.ડી.ને દિલ્હીના મુખ્યમંત્રીએ બતાવ્યો ઠેંગોઃ કહ્યુંઃ 'નોટીસ રાજનીતિથી પ્રેરિત'
નવી દિલ્હી તા. રઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર નહીં થાય. તેઓ એમપીના સિંગરોલીમાં ચૂંટણી સભામાં વ્યસ્ત છે. ઈ.ડી.એ દારૃનીતિ કૌભાંડમાં પૂછતાછ માટે બોલાવ્યા હતાં.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ઈડી સમક્ષ હાજર નહીં થાય. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રેલીમાં હાજરી આપવાના છે. ઈ.ડી.એ કેજરીવાલને ૩૦ ઓક્ટોબરે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. આ અંગે આજે સવારે ૯ વાગે કેજરીવલે ઈ.ડી.ને જવાબ મોકલીને કહ્યું હતું કે, આ નોટીસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે.
કેજરીવાલે કહ્યું કે, આ નોટીસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે, જેથી તેમને ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે જતા રોકી શકાય. ઈ.ડી.એ આ નોટીસ પાછી ખેંચી લેવી જોઈએ.
કેજરીવાલ પૂછપરછ માટે જવાની સંભાવના વચ્ચે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલ તેમના ઘરે પહોંચ્યા અને તેમને મળ્યા. કેજરીવાલ પણ ૧૦ વાગે રાજઘાટ જાય તેવી શક્યતા હતી, જેને લઈને રાજઘાટ પર પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો.
કેજરીવાલે ઈ.ડી.ને જવાબ આપ્યો હતો કે આ નોટીસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. હું ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું તેની ખાતરી કરવા માટે આ નોટીસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. ઈ.ડી.એ આ નોટીસ પાછી ખેચી લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઈ.ડી.એ ૩૦ ઓક્ટોબરે કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું. આ કેસમાં કેજરીવાલની સીબીઆઈ દ્વારા એપ્રિલમાં લગભગ ૯.પ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા અને આપ સાંસદ સંજયસિંહ દારૃ નીતિ કેસમાં જેલમાં છે.
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મંગળવારે દાવો કર્યો હતો કે ઈડી ર નવેમ્બરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે. કેજરીવાલ પછી ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓની પણ ધરપકડ કરવામાં આવશે. ત્યારપછી ઝારખંડના સીએમ હેમંત સોરેન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, કેરળના સીએમ પી. વિજયન, તામિલનાડુના સીએમ એમકે. સ્ટાલિન અને બંગાળના સીએમ મમતા બેનર્જી છે.
આતિશીએ કહ્યું કે, પીએમ મોદી અરવિંદ કેજરીવાલથી ડરે છે. ભાજપ જાણે છે કે તે ચૂંટણીમાં આપને હરાવી શકશે નહીં. એટલા માટે આપના વરિષ્ઠ નેતાઓને એક પછી એક જેલમાં નાખવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial