Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) હોદ્દેદારોની બિનહરિફ વરણી

જામનગર તા. રઃ રાજ્યપુરોહિત બ્રાહ્મણ બોર્ડીંગમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર જિલ્લા તથા શહેરના હોદ્દેદારોની વરણી બાબત મિટિંગ તા. રપ ના બુધવારે રાખવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. બ્રહ્મસમાજના સર્વે આજીવન સભ્યો, પેટા જ્ઞાતિ તથા ઘટકના હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં અને આ વરણીને સર્વાનુમત્તે સ્વીકારી ટેકો જાહેર કરીને બહાલી આપી હતી. જામનગર જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલભાઈ મોહનભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ ચંપકલાલ જોષી, તથા કારોબારી સભ્યો (સૌરાષ્ટ્ર-કચ્છ) વલ્લભભાઈ જોષી અને નયનભાઈ વ્યાસ બિનહરિફ જાહેર થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh