Advertisement
Author: નોબત સમાચાર

એસટીના કર્મચારીને નોકરી પર ન જવાનું કહી શખ્સે ઝીંક્યા ફડાકા

જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કર્યાની ફરિયાદઃ

જામનગર તા. રઃ દ્વારકાના એસટી ડેપોમાંથી ગઈકાલે સાંજે મહેસાણા જવા રવાના થતી એસટી બસમાં ફરજ પર રહેલા એક કર્મચારીને ગાળો ભાંડી નોકરી પર ન જવાનું કહી એક શખ્સે માર માર્યાે હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.

દ્વારકા શહેરમાં ટીવી સ્ટેશન રોડ પર વસવાટ કરતા અને જીએસઆરટીસી (એસટી)માં આસી. ટ્રાફિક ઈન્સ.ની ફરજ બજાવતા દેવાભાઈ જીવણભાઈ હાથીયા ગઈકાલે સાંજે દ્વારકાના એસટી ડેપોમાંથી મહેસાણા જતી બસમાં નોકરી પર હતા.

આ વેળાએ ત્યાં આવેલા દ્વારકાના જ કિરીટસિંહ એલ. જાડેજાએ નોકરી પર ન જવાનું કહી બોલાચાલી શરૃ કર્યા પછી દેવાભાઈને ગાળો ભાંડી ફડાકો ઝીંક્યો હતો અને હાથની આંગળીમાં બચકુ ભરી લીધુ હતું અને દેવાભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. દ્વારકા પોલીસે દેવાભાઈની ફરિયાદ પરથી એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh