Advertisement
Author: નોબત સમાચાર

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી જન્મજયંતી નિમિત્તે જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, મંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર-પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરિયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, હીનાબેન અગ્રાવત, ભાગીરથીબેન અજા, રીનાબેન નાનાણી, બજરંગ દળ સહસંયોજક ધુમિલ લંબાટે, મિહિર ચીખલિયા વિગેરે કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર સાહેબના હિન્દુ સમાજ અને સનાતન ધર્મ માટે અપાયેલ યોગદાનને પણ આ તકે યાદ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh