Advertisement
Author: નોબત સમાચાર

રાજકુમાર આનંદના ૯ ઠેકાણાઓ પર ઈડીના દરોડા

કેજરીવાલ સરકારના એક મંત્રી

દિલ્હી તા. ૨ઃ કેજરીવાલ સરકારની મુશ્કેલી વધી રહી છે, અને મંત્રી રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા પડ્યા છે. તેમની સાથે સંકળાયેલા ડઝનથી વધુ ઠેકાણે દરોડા પડાયા છે. ઈડીએ આ કાર્યવાહી કયા કેસ હેઠળ થઈ રહી છે તેની હજી ચોક્કસ માહિતી મળી નથી.

દિલ્હી એકસાઈઝ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આજે ઈડી પુછપરછ કરવાની હતી. પરંતુ કેજરીવાલ હાજર થયા નહીં. ત્યારે દિલ્હીમાં જ કેજરીવાલ સરકારમાં મંત્રીના ઘરે ઈડીની ટીમ દરોડા પાડવા પહોંચી ગઈ છે, જેના લીધે કેજરીવાલ સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદ સિવિલ લાયન્સ વિસ્તારમાં આવેલા નિવાસે ઈડી દરોડાની કાર્યવાહી કરી રહી છે. તેમની સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર દરોડા પડાયા હતાં.

ઈડીની ટીમ સવારથી તપાસ અભિયાન ચલાવી રહી છે. કુલ એક ડઝનથી વધુ ઠેકાણે દરોડાની કાર્યવાહી થઈ રહી હોવાની માહિતી મળી રહી છે. જો કે કયા કેસમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

રાજકુમાર આનંદ પાસે સામાજિક કલ્યાણ મંત્રાલય છે. તેમના ઘર અને તેમના મંત્રાલય સંબંધિત સરકારી નોકરો અને અન્યો સામે દિલ્હી એનસીઆરમાં એક ડઝનથી વધુ ઠેકાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh