Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિક અંગે જનજાગૃતિ કાર્યક્રમો હેઠળ ૨૨૨૩ લાભાર્થીઓને અપાયું માર્ગદર્શન

જામનગર જિલ્લા માટે સલામતી સમિતિની બેઠક યોજાઈ

જામનગર તા. રઃ જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં શહેર-જિલ્લામાં ટ્રાફિક જાગૃતિ અંગે ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી અપાઈ હતી.

જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર શહેર વિસ્તારમાં અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. સાત રસ્તા, ગુરૃદ્વારા ચોકડી, સયાજી હોટેલ અને અંબર ચોકડી પાસે રેડિયમ ટેપ, ડિવાઈડર અને નો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જનજાગૃતિના ૧૯ કાર્યક્રમોમાં ૨૨૨૩ જેટલા લાભાર્થીઓને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા છે. ઠેબા ચોકડી, સાંઢિયા પુલ, લાલપુર ચોકડી અને મોરકંડા ચોકડી પાસે રોડનું રિસર્ફેસિંગ કામ, થર્મોપ્લાસ્ટ માર્કિંગ, ફીલિંગ વર્ક અને ક્રેશ બેરિયર્સ મૂકવાનું કામ કરવામાં આવશે. જામનગર-લાલપુર હાઈવે પર રેડિયમ સ્ટ્રીપ્સ અને લાઈટ્સ મૂકવામાં આવશે.

તાજેતરમાં આશાપુરા માતાના મઢ તરફ જતા પદયાત્રીઓને જામનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા રેડિયમ સેફટી કીટ અર્પણ કરાઈ હતી. જેથી અકસ્માતનો ખતરો ટળી શકે.

ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, મુખ્ય જિલ્લા આટ્ઠરોગ્ય અધિકારી ડો. હારૃન ભાયા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીગણ હાજર રહ્યાં હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh