Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં રાષ્ટ્રીય એકતા દિવસના શપથ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ

ખંભાળીયા તા. રઃ લોહપુરૃષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તા. ૩૧ ઓકટોબરના દિવસની દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૃપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતાં. જિલ્લા સેવા સદન ખંભાળીયામાં જિલ્લા કલેકટર અશોક શર્માની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અને જિલ્લા પંચાયત ખંભાળીયામાં અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા અને સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh