Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ર૩ મી નવેમ્બરે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

તા. ૧૦ નવેમ્બર સુધીમાં અરજી કરવા તાકીદઃ

જામનગર તા. રઃ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ'નું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ર૩ નવેમ્બરના યોજાશે. તે માટે અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો/અરજી આગામી તા. ૧૦ નવેમ્બર સુધીમાં જિલ્લા કલેક્ટર કચેરી, શરૃ સેક્શન રોડ, જામનગરના સરનામા પર મોકલી આપવાના રહેશે. સુનિશ્ચિત સમયમર્યાદા પછી મળેલા પ્રશ્નો/અરજીનો ઉક્ત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh