Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં વિવિધ રાજ્યમાં વિવિધ તિથીઓ પર વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક ઉત્સવો ઉજવવામાં આવે છે. જે-તે પ્રાંતમાં ઉજવાતા ઉત્સવો તે પ્રાંતનાં વતનીઓનાં અન્ય પ્રદેશોમાં વસવાટને પગલે અન્ય પ્રદેશોમાં પણ પ્રચલિત બને છે. 'કરવા ચોથ' ઉત્તર ભારતનાં રાજ્યો તથા ગુજરાતનાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઉજવાતો ઉત્સવ છે. જેમાં પરીણિતાઓ પતિનાં દિર્ધાયુ અને સુસ્વાસ્થ્ય માટે આખો દિવસ વ્રત રાખે છે. 'છોટીકાશી' જામનગરમાં પણ રાજસ્થાનનાં વતની મહેશ્વરી સમાજનાં ૩૦૦ પરિવારનાં મહિલાઓ દ્વારા કરવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. આખો દિવસ પાણી પણ ગ્રહણ કર્યા વગર મહિલાઓ આકરૃં વ્રત કરે છે અને સાંજે પૂજન તથા ચંદ્ર દર્શન અને ચારણીમાંથી પતિનાં મુખરવિંદનાં દર્શન કર્યા પછી વ્રત પૂર્ણ કરે છે. જામનગરમાં મહેશ્વરી સમાજની મહિલાઓએ આ પરંપરા નિભાવી કરવા ચોથની ઉમંગ પૂર્વક ઉજવણી કરી હતી. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial