Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરજકરાડીમાં યોજાયો લોકદરબારઃ
ખંભાળિયા તા. ૨ઃ મીઠાપુર પોલીસ મથકની વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત એએસપીએ પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી અને આગેવાનો સાથે લોકદરબાર પણ યોજ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એએસપી રાઘવકુમાર જૈનની ઉપસ્થિતિ માં વાર્ષિક તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એએસપી જૈન તથા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં ગુન્હાખોરીનું પ્રમાણ ઘટાડવા તથા અન્ય મુદ્દાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું.
ત્યારપછી સુરજકરાડીની આંબેડકર સોસાયટીમાં અનુ. જાતિના આગેવાનો સાથે મિટીંગ યોજીને તેમના પ્રશ્નો, રજૂઆતો અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી. સુરજકરાડી પોલીસ સ્ટેશનમાં સ્થાનિક આગેવાનોનો લોકદરબાર પણ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial