Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડથી જામકંડોરણા વચ્ચે બે બાઈક ટકરાતા જામનગરના દંપતીને થઈ ઈજા

અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે ફરિયાદઃ

જામનગર તા. ૨ઃ જામનગરના ગાંધીનગરમાં રહેતું એક દંપતી મંગળવારે બાઈકમાં જામકંડોરણાના ચાવંડી ગામ તરફ જતું હતું. ત્યારે માર્ગમાં અન્ય બાઈક સાથે અકસ્માત થતાં બંનેને ઈજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર બાઈકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરના ગાંધીનગરના રેલવે સ્ટેશન પાસે રહેતા જયેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા અને તેમના પત્ની રીટાબા મંગળવારે બપોરે નવાગામમાં આવેલા રીટાબાના ઘરેથી રાજકોટ જિલ્લાના કંડોરણા તાલુકાના ચાવંડી ગામમાં રહેતા જયેન્દ્રસિંહના ભાઈ વિજયસિંહના ઘેર તરફ બાઈકમાં નીકળ્યા હતા. તેઓ જ્યારે કાલાવડના નવાગામથી ચાવંડી ગામ તરફ આગળ વધતા હતા ત્યારે ગોળાઈમાં જીજે-૧૦-એએચ ૯૩૧૧ નંબરનું બાઈક પુરપાટ ઝડપે ધસી આવ્યંુ હતું. તેના ચાલકે જયેન્દ્રસિંહના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા રીટાબા તથા જયેન્દ્રસિંહ ફંગોળાઈ ગયા હતા. બંનેને ઈજા થઈ છે. રીટાબાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh