Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડીયાના ટીડીઓ માધુરીબેન પટેલની વડોદરા બદલી થવાથી તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જોડીયા તા.પં. પ્રમુખ રસીલાબેન ચનીયારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિ.પં. કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા, પૂર્વ પ્રમુખ નાથાલાલ સાવરીયા, સરપંચ અનસુયાબેન હોથી, દામજીભાઈ ચનીયારા, મનુભાઈ હોથી, તા.પં. સ્ટાફ, તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતાં. વિસ્તરણ અધિકારી મનિષભાઈ સોરઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિ.અ.સોહમભાઈ રાઠોડ, તલાટી કમ મંત્રી કિંજલબેન ભેંસદડીયા, હિસાબી અધિકારી હરદેવસિંહ ચુડાસમા, ચંદ્રિકાબેન અઘેરા તથા માધુરીબેન પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. માધુરીબેનનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જાનવીબેન કારીયા, નાથાલાલ સાવરીયા ગીરધરલાલ ગઢીયા, વગેરે જોડાયા હતાં. આભારદર્શન તલાટી વિપુલભાઈ પનારાએ અને સંચાલન વિ.અ. કલ્પેશભાઈ કાનાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial