Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતના કેસોમાં રૃા. પ૦ હજારની નિઃશુલ્ક સારવાર પછી
ખંભાળીયા તા. રઃ ગુજરાત રાજ્યમાં અકસ્માત થાય ત્યારે નજીકન ખાનગી હોસ્પિટલમાં પ૦ હજાર રૃપિયા સુધીનો ખર્ચ વિનામૂલ્યે કરવા માટે ખાસ યોજના બનાવાઈ હતી જેનો લાભ અકસ્માતગ્રસ્ત લોકો મોટા પ્રમાણમાં લેતા હતાં. પણ વહીવટની આંટીઘૂંટીમાં આ યોજના અટવાઈ ગઈ હોય તેવું લાગે છે!!
દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં અનેક ખાનગી હોસ્પિટલોએ આવી રીતે સારવાર કરી હતી જેમના બીલોનું પેમેન્ટ આરોગ્ય ખાતાએ દોઢ-બે વર્ષથી ના કર્યાનું કહેવાય છે ??
આના કારણે હવે ખાનગી હોસ્પિટલોમાં આવા દર્દીઓની સારવાર કરવામાં ડોકટરોને રસ ના પડતો હોય તેવી સ્થિતિ થવા પામી હોવાનું પણ ચર્ચાય છે !!
સરકારે યોજના જાહેર કર્યા પછી તેનું ચુકવણું લાંબા સમય સુધી ના થાય તો યોજનામાં ખાનગી તબીબો કયાંથી જોડાય ? કે સહકાર આપે ? આ મુદ્દો રાજ્યના અનેક શહેરોમાં હોવાનું પણ કહેવાય છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial