Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા

૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવા તાકીદઃ

જામનગર તા. રઃ સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્રમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે, જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઈચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ, અધિકારીઓ, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ, નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસરો અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે. તા. ૩૦ નવેમ્બર સુધીમાં નિયત નમૂનામાં ફોર્મ ભરીને જરૃરી આધારો સાથે ત્રણ કલમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, આઈટીઆઈ હોસ્ટેલ બિલ્ડિંગ, એસટી ડેપો સામે જામનગરને રૃબરૃ કે ટપાલથી પહોંચતા કરવા મદદનીશ નિયામકશ્રી (રોજગાર) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જરૃરી ફોર્મ વેબસાઈટ પરથી મેળવી શકાશે અથવા જામનગર રોજગાર કચેરીથી કામકાજના દિવસો દરમિયાન વિનામૂલ્યે મળી શકશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh