Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુન્હામાં પતિ-સાસુનો છૂટકારો

ત્રણેક વર્ષ પહેલાં મહિલાએ કરી હતી આત્મહત્યાઃ

જામનગર તા. ૨ઃ લાલપુરના નાના લખીયામાં ત્રણ વર્ષ પહેલા એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાના પિતાએ પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર કરનાર સાસુ તથા પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી માતા, પુત્રનો છૂટકારો ફરમાવ્યો છે.

લાલપુર તાલુકાના નાના લખીયા ગામના શક્તિસિંહ મહોબતસિંહ ચુડાસમાના પત્ની કિરણબાએ ગઈ તા.૯-૬-૨૦ ના દિને ગળાટૂંપો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમના પિતા પ્રવીણસિંહ રણુભા જાડેજાએ પોતાની પુત્રી કિરણબાને પતિ શક્તિસિંહ તેમજ સાસુ ધ્રુપતબા છ વર્ષથી હેરાન કરતા હોવાની અને પૂરતું જમવાનું પણ નહીં આપતા હોવાની ફરિયાદ કરી તેમના ત્રાસથી પોતાની પુત્રીએ આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા પતિ તથા સાસુ તરફથી રોકાયેલા વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડાની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી માતા-પુત્રનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh