Advertisement
Author: નોબત સમાચાર

ઠાકરશેરડીમાં મહિલાનો અકળ કારણથી ગળાફાંસો

શ્રમિક પરિવાર શોકમાં ગરકઃ

જામનગર તા.૧૫ ઃ ખંભાળિયાના ઠાકરશેરડી ગામમાં  એક ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા શ્રમિક પરિવારના મહિલાએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

ખંભાળિયા તાલુકાના ઠાકર શેરઠી ગામમાં આવેલા માંડાભાઈ પબાભાઈ જામ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના જાગોદ ગામના બાપુસિંગ ગડુસિંગ ડામોર નામના યુવાનના પત્ની રેખાબેને આત્મહત્યા વ્હોરી છે.

સોમવારે રાત્રે ખેતરમાં જ બનાવવામાં આવેલા તેમના રહેણાંકમાં આ પરિણીતાએ કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની ગઈકાલે સવારે પતિ બાપુસિંગને જાણ થઈ હતી. દોડી આવેલી ખંભાળિયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે અને પતિનું નિવેદન નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh