Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના વેપારીનું દુકાનમાં હૃદય રોગનો હુમલો આવી જતાં થયું મૃત્યુ

બરડીયામાં તળાવમાં પડી ગયેલા યુવાનનું મોતઃ

જામનગર તા.૧૫ ઃ જામનગરના કોળીવાસમાં રહેતા એક પ્રૌઢનું બીમારીના કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. જયારે ખંભાળિયામાં એક વેપારીને દુકાનમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ થયું હતું. ઉપરાંત દ્વારકાના બરડીયામાં એક યુવાન તળાવમાં કોઈ રીતે પડી ગયા પછી ડૂબી જવાથી મોતને શરણ થયા છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા કોળી વાસમાં રહેતા નિલેશભાઈ નાથાભાઈ કોળી નામના ૪૭ વર્ષના પ્રૌઢને ગઈ તા.૯ના દિને શ્વાસની બીમારી તથા નબળાઈના કારણે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સોમવારે મૃત્યુ થયાનું પિયુષભાઈ આસુન્દ્રાએ પોલીસમાં જાહેર કર્યું છે.

ખંભાળિયા શહેરમાં જોધપુર નાકા પાસે દુકાન ધરાવતા સુરેશભાઈ ધનાભાઈ નકુમ નામના વેપારીને ગઈકાલે સવારે તેઓ જ્યારે પોતાની દુકાને હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેમનું મૃત્યુ થયું છે. દિલીપભાઈ નકુમે પોલીસને જાણ કરી છે.

મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની અને હાલમાં દ્વારકા તાલુકાના બરડીયા ગામમાં રહેતા શુભમ નારાયણ શાહા (ઉ.વ.૨૪) નામના યુવાન ગઈકાલે સવારે ત્યાં આવેલા જૈન મંદિર પાછળના તળાવમાં કોઈ રીતે પડી ગયા પછી ડૂબી જઈ મોતને શરણ થયા છે. ઉત્તમભાઈ કરમાકરે પોલીસને વાકેફ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ શરૃ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh