Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાશિવરાત્રિના મેળા નિમિત્તે
રાજકોટ તા. ૧૫ ઃ જુનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મહાશિવરાત્રિ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-જુનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.
જેમાં રાજકોટ-જુનાગઢ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન ૧૫-૨-૨૦૨૩ થી ૨૧-૨-૨૦૨૩ સુધી (૧૬-૨-૨૦૨૩ અને ૨૧-૨-૨૩) સિવાય દોડશે. ઉપરોકત દિવસોમાં આ ટ્રેન રાજકોટથી સવારે ૧૦-૪૫ કલોકે ઉપડી જુનાગઢ સ્ટેશને બપોરે ૧૨.૪૫ કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જુનાગઢથી ૧૫-૩૦ કલાકે ઉપડશે અને ૧૫.૫૫ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડેલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેન નં. ૧૯૧૧૯/ ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ-સોમનાથ એકસપ્રેસ ટ્રેન નં. ૦૯૫૧૩/૦૯૫૧૪ વેરાવળ, રાજકોટ, વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. ૧૯૨૦૭/ ૧૯૨૦૮ પોરબંદર, સોમનાથ, પોરબંદર એકસપ્રેસ અને ટ્રેન નં. ૦૯૫૨૨/૦૯૫૨૧ રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જર સ્પેશિયલમાં વધારાના કોચ લગાડવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag