Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ભાણવડ પંથકના રહેવાસીઓ વચ્ચે બઘડાટીઃ બંને પક્ષે નોંધાવી ફરિયાદ

જામનગર તા.૧૫ઃ દ્વારકામાં રવિવારે ભાણવડના કેટલાક વ્યક્તિઓ આમને સામને આવી જતાં મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.

ભાણવડ તાલુકાના સણખલા ગામમાં રહેતા ભીખુભાઈ ગોવાભાઈ બેરાએ ભાણવડના રણજીતપરામાં રહેતા રવિ ખીમાભાઈ ચાવડા નામના શખ્સ સામે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રવિને ભાણવડના રામશીભાઈ ભારવાડીયા સાથે મનદુખ હોય તેઓ રવિવારે બપોરે દ્વારકામાં ભડકેશ્વર મંદિર પાસે બોલાચાલી કરતા હતા ત્યારે બંનેને સમજાવવા માટે ભીખુભાઈ વચ્ચે પડતા તેમના પર હુમલો થયો હતો.

આ ફરિયાદની સામે રવિ ચાવડાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ રવિવારે બપોરે દ્વારકામાં તેના પર ભીખુભાઈ તેમજ રામશી માલદે, વિજય કોટેચા નામના ત્રણ શખ્સે હુમલો કરી છરી હુલાવી દીધી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh