Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ચાર કારખાનામાં ચેકિંગઃ નમૂના લેવાયા

સાત વર્ષ પહેલા સમસ્યાના સમાધાન માટે ૧૦૦ કરોડના એમઓયુ થયા હતા

જામનગર તા.૧૫ઃ જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે પ્રદૂષણ મામલે ગુજરાત પ્રદૂષણ બોર્ડની સ્થાનિક કચેરી દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર સ્થળેથી કેમિકલ્સયુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાથી ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા પછી વડી કચેરીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીના અધિકારીઓને ટુકડી દ્વારા ગઈકાલે દરેડ જીઆઈડીસીમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ સમયે ખાસ કરીને ઈલેક્ટ્રો-પ્લેટર્સના કારખાનામાંથી ઝેરી કેમિકલયુક્ત પાણીનો જથ્થો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાથી આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી ચાર કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી જાહેરમાં નિકાલ થતો હોવાનું જણાતા સામે ત્યાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા. તેમના રિપોર્ટ પછી અને વડી કચેરીના આદેશ પછી જરૃરી પગલા લેવામાં આવશે. તેમ જાણવા મળે છે.

અને ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. વચ્ચે ૧૦૦ કરોડના એમઓયુ પણ થયા હતાં. પરંતુ આ પ્રોજેક્ટની ફાઈલ ધૂળ ખાતી આજે પણ યથાવત પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh