Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘડીયે ઘડીયે આવું નાટક કરવાના બદલે કાયમી નિરાકરણ લાવોઃ પ્રત્યાઘાતો
જામનગરનાં પ્રદર્શન મેદાનમાં વધુ એક વખત ઝુંપડ પટ્ટી ઉભી થઈ જવા પામી હતી. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આ ઝુંપડ પટ્ટીનાં દબાણો દૂર કરીને જગ્યા ખાલી કરાવી હતી. અહીં સમયાંતરે ઝુંપડપટ્ટી ઉભી થતી રહે છે, અને તંત્ર દ્વારા સમયાંતરે તેને દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવે છે. જેમાં સમય અને નાણાં બરબારદ થાય છે. આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં ધાર્મીક સ્થળ નજીકનાં વિસ્તારમાં ગેરકાયદે ઝુંપડ પટ્ટી ફરી એક વખત ખડકાઈ ગઈ હતી. આ અંગે ભાજપનાં કોર્પાેરેટર નિલેષ કગથરાએ મ્યુનિ. કમિશ્નર સમક્ષ લેખિત રજુઆત કરી હતી અહીં રાજવી પરિવારની પવીત્ર જગ્યા આવેલ છે. જ્યાં આ ઝુંપડા નડતર રૃપ હોવાથી તેને દૂર ખસેડવા જોઈએ આ રજુઆતને અનુસંધાને આજે એસ્ટેટ ઓફિસર એન. આર. દીક્ષીતની રાહબરી હેઠળ એસ્ટેટ વિભાગનાં કર્મચારીઓ દ્વારા તમામ ઝુંપડા દૂર ખસેડી જગ્યા ખાલી કરાવાઈ હતી. આ કામગીરી સમયે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યા જીલ્લા કલેકટર હસ્તક છે. પરંતુ તંત્ર ધ્યાન આપતું નહીં હોવાથી સમયાંતરે આ જગ્યામાં ઝુપડા ખડકી દેવામાં આવે છે જેને દૂર કરવાની કામગીરી પણ વારંવાર કરવી પડે છે. શું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી ન શકે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag