Advertisement
Author: નોબત સમાચાર

નગરના વેપારીનું અકળ કારણથી વિષપાન

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાઃ

જામનગર તા.૧૫ ઃ જામનગરના ખીજડા મંદિર વિસ્તારમાં ભંગારનો વ્યવસાય કરતા એક વેપારીએ પોતાની દુકાને કોઈ કારણથી ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા ખીજડા મંદિરવાળી શેરીમાં ભંગારનો વ્યવસાય કરતા એક વેપારીએ પોતાની દુકાને જ કોઈ અગમ્ય કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ વેળાએ ત્યાં હાજર અન્ય વ્યક્તિઓને તેની જાણ થતાં ૧૦૮ મારફતે આ વેપારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને સઘન સારવાર આપવાનું શરૃ કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh