Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૫ઃ જામનગરના શ્રી કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા એક્યુપ્રેશર સુજોક અને મેગ્નેટ પદ્ધતિથી પાંચ દિવસીય સારવાર કેમ્પનું આયોજન તા. ૧૭ થી ૨૧-૨-૨૦૨૩ ના દિવસોમાંં સવારે ૯ થી ૧૨ તથા સાંજે ૪ થી ૭ દરમ્યાન શ્રી કચ્છી ભાનુશાળી મહાજનવાડી, ૫૮, દિ.પ્લોટ, શ્રી ઓધવદિપ વિદ્યાલય સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં જુના સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, ચીકનગુનીયા, બીપી, સુગર, જાડાપણુ, આંખ-કાન-નાક-ગળું અને દરેક બીમારીઓનો દવા વગર (હાથ-પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. આ કેેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. બ્રિક્રમસિંઘ અને ડો. રૃપસિંઘ તબીબી સેવા આપશે. વોર્ડમાં રહેતા તેમજ જામનગર શહેરના જરૃરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લેવા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તથા કેમ્પના સહયોગી મનિષ પી. કટારિયાએ જણાવ્યુંં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag