Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના કરાણા ગામના ખેડૂતનો ચેક પરતના કેસમાં થયો છૂટકારો

ખેતી બેંકે નોંધાવી હતી ફરિયાદઃ

જામનગર તા.૧પ ઃ લાલપુરના કરાણા ગામના એક ખેડૂત સામે ખેતી બેંક દ્વારા કરવામાં આવેલી ચેક પરતની ફરિયાદમાં અદાલતે ખેડૂતને શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે.

લાલપુર તાલુકાના કરાણા ગામના ખેડૂત અગરસંગ શિવુભા જાડેજાએ સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકમાંથી કેસીસી યોજના હેઠળ કેવીએલ લોન મેળવી હતી. તેના હપ્તા નિયમિત રીતે ભરપાઈ કરવામાં ન આવતા બેંકે ઉઘરાણી કરી હતી.

તેની સામે અગરસંગે ચૂકવણી માટે રૃા.૧૩ લાખ ૮૩ હજારનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવાયા પછી જામનગરની અદાલતમાં ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અગરસંગ શિવુભાને શંકાનો લાભ આપી છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ભગીરથસિંહ ઝાલા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh