Advertisement
Author: નોબત સમાચાર

સોયલની જમીન તથા જામનગરના આસામી સામે અદાલતમાં કરાયેલા બે દાવા રદ્દ ઠરાવાયા

જામનગર તા.૧૫ઃ ધ્રોલના સોયલ ગામની એક જમીનનો દસ્તાવેજ રદ્દ કરાવવા કરાયેલો દાવો અદાલતે રદ્દ કર્યાે છે. જ્યારે લાલપુરના એક આસામીએ પણ આ જ પ્રકારના કરેલા દાવાને અદાલતે રદ્દ કર્યાે છે.

ધ્રોલ તાલુકાના સોયલ ગામના મહેશ નાથાભાઈ દલસાણીયાએ સોયલમાં જ આવેલી ખેતીની જમીન પમીબેન વાલાભાઈ વગેરે પાસેથી વેચાતી લઈ તેનો વર્ષ ૨૦૦૬માં દસ્તાવેજ કરાવ્યો હતો. રેવન્યુ રેકર્ડમાં તેઓનું નામ ચઢ્યા પછી પ્રકાશ નાનજીભાઈ ચાવડાએ તે દસ્તાવેજ રદ્દ કરાવવા જામનગરની દીવાની અદાલતમાં વર્ષ ૨૦૧૪માં દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે મુદ્દત બહારનો હોવાની દલીલ ગ્રાહ્ય રાખી રદ્દ કર્યાે છે. જામનગરના કમલેશભાઈ બકરાણીયા સામે લાલપુરના હેમુભા એન. જાડેજાએ લાલપુરની દીવાની અદાલતમાં વર્ષ ૨૦૧૮માં દાવો કરી વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાની માંગણી કરી હતી. તે દાવો અદાલતે નામંજૂર કરતા તેની સામે જામનગરની જિલ્લા દીવાની અદાલતમાં વર્ષ ૨૦૨૨માં અપીલ કરવામાં આવી હતી. તે અપીલ પણ અદાલતે રદ્દ કરી છે. બંને કેસમાં વકીલ તરીકે કિશોર નથવાણી, ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh