Advertisement
Author: નોબત સમાચાર

આઈજી અશોક યાદવની ઉપસ્થિતિમાં વ્યાજખોરોનું દુષણ ડામવા યોજાઈ સમીક્ષા બેઠકઃ લોક દરબાર

જીઆઈડીસી ફેસ-૨/૩માં

જામનગર તા.૧૯ઃ જામનગરનાં જીઆઈડીસી ફેસ-૨/૩નાં ઔદ્યોગિક વિસ્તારમાં રાજકોટ રેન્જના આઈ.જી. અશોક યાદવની ઉપસ્થિતિમાં વ્યાજખોરોનું દુષણ ડામવા તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા માટે એસો.ના હોલમાં બેઠક-લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના આ એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી અરૃણા વસાવા, પીએસઆઈ મોરી તથા સંબંધિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં એસો.ના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, ઉપપ્રમુખ રાજુભાઈ ચોવટીયા, મંત્રી વિશાલભાઈ લાલકીયા, હોદેદારો, કારોબારી સભ્યો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. આઈ.જી.અશોક યાદવે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી હતી. વસાહતના ૨૯ કોમન પ્લોટનું આઈ.જી.એ જાતનિરીક્ષણ કર્યુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh