Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જાહેર માર્ગો પર કરાયેલા દબાણો દૂર કરી રોડ ખુલ્લા કરાયા

૪૯, દિ.પ્લોટ, જકાતનાકા, ગોકુલનગર ચોકડી સહિત

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ મા રસ્તા ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની તેમજ એસ્ટેટ શાખાના કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન મુજબ એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના ૪૯, દિ. પ્લોટ તેમજ જકાતનાકા, ગોકુલનગર ચોકડી સુધીના વિસ્તારમાં રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતાં જેમાં ભંગારવાળા, ઝુંપડાવાળા, ગેરકાયદે ગાય-ભેંસના તબેલા રોડ પર પથરાયેલા માટી-કેરણના ઢગલા વગેરે દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh