Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના શંકરાચાર્ય પૂ. સદાનંદજી ગંગા કિનારે પ્રયાગરાજના માગ મેલા ઉત્સવમાં જોડાશે

હજારો સાધુ-સંતો સાથે કરશે ગંગાસ્નાન

દ્વારકા તા. ૧૯ઃ દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ લખનૌના ગંગા નદીના કિનારે પ્રયાગરાજમાં શરૃ થયેલ માગમેલા ઉત્સવમાં ભાગ લઈને તા. ર૧ જાન્યુઆરીના ગંગા નદીમાં હજારો સાધુ-સંતો સાથે ગંગા સ્નાન કરશે.

ઉલ્લેખનિય છે કે, પ્રતિવર્ષ ઉત્તરપ્રદેશના લખનૌ પાસે ગંગા નદી પસાર થાય છે, ત્યાં પ્રયાગરાજમાં ઉજવાતા માગમેલા ઉત્સવનું વિશેષ મહત્ત્વ છે અને દેશના હજારો ભાવિકો અને સાધુ-સંતો ગંગા સ્નાન કરવા, ખાસ કરીને મકરસંક્રાંતિ અને તેના આસપાસના દિવસોમાં જતા હોય છે.

આ સમયે દ્વારકાના શંકરાચાર્યજીના આગમનની આતૂરતાથી રાહ જોવાઈ રહી હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh