Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોમ્બે મિનરલ સામે ફરિયાદો છતાં પગલાં નહીં લેવાતા
ખંભાળિયા તા. ૧૯ઃ ખંભાળિયાની બોમ્બે મિનરલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવા અંગે કોર્ટમાં જવાની ચિમકી સાથે હર્ષદપુરના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખંભાળિયાની બોમ્બે મિનરલ કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ અંગે સ્થાનિક રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફરિયાદ કરીને આઈ.પી.સી. ર૮૬ મુજબ પગલાં લેવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, સ્થાનિક લોકો દ્વારા ગત્ ર૩-૧૧-૧૬ થી ફરિયાદો વારંવાર થયેલ છે તથા વારંવાર કારણદર્શક નોટીસો તથા ક્લોઝર નોટીસો પણ આપવામાં આવી છે. છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ના થતા કંપની દ્વારા હજુ પણ પ્રદૂષણ થતું હોય, જિલ્લા કલેક્ટર દ્વારા આઈ.પી.સી. ર૬૮ મુજબ કાર્યવાહી કરીને પગલાં લેવા તથા સ્થાનિક લોકો સાથે મિટિંગ રાખીને વાસ્તવિક સ્થિતિ જાણવાની પણ માંગ કરવામાં આવી છે.
જો તાકીદે પગલાં નહીં લેવાય તો સ્થાનિક રહીશો દ્વારા અદાલતના દ્વારે જવાની ચિમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag