Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નજીકના હર્ષદપુરના રહીશોની પ્રદૂષણ મુદ્દે કોર્ટમાં જવાની ચિમકીઃ કલેક્ટરને આવેદન

બોમ્બે મિનરલ સામે ફરિયાદો છતાં પગલાં નહીં લેવાતા

ખંભાળિયા તા. ૧૯ઃ ખંભાળિયાની બોમ્બે મિનરલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવા અંગે કોર્ટમાં જવાની ચિમકી સાથે હર્ષદપુરના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખંભાળિયાની બોમ્બે મિનરલ કંપની દ્વારા ફેલાવાતા પ્રદૂષણ અંગે સ્થાનિક રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફરિયાદ કરીને આઈ.પી.સી. ર૮૬ મુજબ પગલાં લેવાની માંગ કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે, સ્થાનિક લોકો દ્વારા ગત્ ર૩-૧૧-૧૬ થી ફરિયાદો વારંવાર થયેલ છે તથા વારંવાર કારણદર્શક નોટીસો તથા ક્લોઝર નોટીસો પણ આપવામાં આવી છે. છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ના થતા કંપની દ્વારા હજુ પણ પ્રદૂષણ થતું હોય, જિલ્લા કલેક્ટર દ્વારા આઈ.પી.સી. ર૬૮ મુજબ કાર્યવાહી કરીને પગલાં લેવા તથા સ્થાનિક લોકો સાથે મિટિંગ રાખીને વાસ્તવિક સ્થિતિ જાણવાની પણ માંગ કરવામાં આવી છે.

જો તાકીદે પગલાં નહીં લેવાય તો સ્થાનિક રહીશો દ્વારા અદાલતના દ્વારે જવાની ચિમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh