Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આરટીઓ કચેરીમાં ઈન્ટરનેટના ધાંધિયાથી લોકોને હેરાનગતિ

જામનગર તા. ૧૯ઃ જામનગરથી ૮-૯ કિ.મી. દૂર આવેલ આર.ટી.ઓ. કચેરીમાં ઈન્ટરનેટના વારંવાર ધાંધિયા થાય છે. જેના કારણે કચેરીએ કામકાજ માટે આવતા અરજદારોને ધક્કા ખાવા પડે છે અને ભારે હેરાનગતિ થઈ રહી છે.

આર.ટી.ઓ. કચેરીમાં જીસ્વાન ઈન્ટરનેટ કનેક્ટિવિટી ગત્ તા. ૧૬-૧-ર૦ર૩ ના સોમવારથી ઠપ્પ થઈ ગઈ હતી. જે ગઈકાલ તા. ૧૮-૧-ર૦ર૩ સુધી પૂર્વવત થઈ ન હતી, જેથી ગામથી દૂર આવેલ આ કચેરીએ તારીખ અને સમય સાથે બોલાવાયેલા અરજદારોના કામ પણ થઈ શક્યા ન હતાં, જો કે કેટલાક કર્મચારીઓએ તેમના મોબાઈલના ઈન્ટરનેટ જોડાણથી કામ કરવાના પ્રયાસો કર્યા હતાં.

ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ જવાના વારંવારના બનાવો તથા ધાંધિયાનો કાયમી ઉકેલ લાવવા ઉગ્ર માંગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh