Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના પીપળી ગામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નવનિર્મિત ગૌશાળાનું લોકાર્પણ

સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૃપે

જામનગર તા.૧૯ઃ જામનગર જિલ્લાના પીપળી ગામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૃપે નવનિર્મિત ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ગૌશાળાનું નિર્માણ અને ૧૯૯૭માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) શ્રી પરિમલભાઈ નથવાણીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ સુવિધાની વર્તમાન જરૃરિયાતોનો અભ્યાસ કરીને રિલાયન્સ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ પીપળી ગૌશાળાના પુનઃનિર્માણનું કામ હાથ ધરાયું હતું. ૧૮૨૦૦ ચો.ફૂટનો પ્લોટ ચલાવતી આ ગૌશાળામાં ૭૪૬૫ ચોરસ ફૂટનો બિલ્ટ-અપ સમાવિષ્ટ છે. રિલાયન્સ કંપની દ્વારા નવનિર્માણ પામેલી આ ૧૫મી ગૌશાળામાં નવું ગૌચારા ગોડાઉન, પાણીના હવેડા, ભવ્ય પ્રવેશ દ્વાર, રખેવાળ માટેની વ્યવસ્થા અને જુના રખેવાળ (ગોવાળ)ની સમાધિ વગેરેનું નવીનીકરણ અને નિર્માણ કરાયું છે. કંપની દ્વારા કુલ ૧૯ ગૌશાળા ટ્રસ્ટને માસિક નિભાવ અનુદાન છેલ્લા ૨૦ વર્ષથી અપાય છે.

જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમના હસ્તે આ ગૌશાળાનું લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, સ્થાનિક તથા જિલ્લાના વરિષ્ઠ અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, "ગૌશાળાઓ સૌરાષ્ટ્રના સમૃદ્ધ ગ્રામીણ વારસાનું અભિન્ન અંગ છે, જે ગામડાના પશુઓને સુરક્ષિત આશ્રય આપે છે." રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઉપલબ્ધ કરાયેલી આ સુવિધા બદલ સ્થાનિક ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh