Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડઃ નાગાજરમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ

આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા કૃષિકારોના લાભાર્થે

જામનગર તા. ૧૯ઃ આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેકટ ડાયરેકટર બીએમ આગઠ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સરળ ભાષામાં સમજાવી અને પ્રાકૃતિક ખેતીના થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર જીગ્નેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા હતાં. પ્રગતિશીલ ખેડૂત કિશોર પેઢડીયા દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી તેમજ હલકા ધાન્ય પાકોનું જીવનમાં મહત્ત્વ તેમજ પ્રાકૃતિક ખેતીનું વેચાણ વ્યવસ્થા અંગેની માહિતી આપવામાં આવી હતી. તદ ઉપરાંત નાગાજર ગામના પ્રગતિશીલ ખેડૂતે જીવામૃત અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવી ખેડૂતોને જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે અને તેમને પ્રાકૃતિક ખેતીમાં થયેલા અનુભવ વિશે માહિતી આપી હતી. આ સમગ્ર તાલીમનું આયોજન પ્રોજેકટ ડાયરેકટર બી.એમ. આગઠના માર્ગદર્શન હેઠળ કાલાવડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કૃપાલ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh